Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાળુ તોડી કરી લેવાયો હાથફેરોઃ વજનકાંટો, પરચૂરણ સામાન પણ ઉપાડતા ગયાઃ
જામનગર તા. ૨૫: જામનગરની નવી સાધના કોલોનીમાં આવેલી જામનગર મહાનગરપાલિકા સંચાલિત જમાઈપરા આંગણવાડીમાં ગઈરાત્રે મુખ્ય દરવાજાનું તાળુ તોડી કોઈ તસ્કરોએ અંદરથી ૧૫૦ કિલો ચોખા, રાંધણગેસના બે બાટલા, ચૂલો, વજનકાંટો, તેલના બે ડબ્બા સહિતનો સામાન ઉઠાવી લીધો છે. આંગણવાડી સંચાલકે પોલીસને જાણ કરી છે.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલી જમાઈપરા આંગણવાડીમાં ગઈરાત્રે ચોરી થઈ છે.
જામનગર મહાનગર પાલિકા સંચાલિત આંગણ વાડીના મુખ્ય દરવાજાનું તાળુ તોડી નાખી કોઈ તસ્કરોએ અંદર પ્રવેશ મેળવ્યા પછી આંગણવાડીમાં બાળકોને પીરસવા માટે રાખવામાં આવેલા ચોખાના જથ્થામાંથી અંદાજે ૧૫૦ કિલો ચોખા તેમજ રાંધણગેસના બે બાટલા, એક ચૂલો, વજનકાંટો, તેલ ભરેલા બે ડબ્બા તથા પરચૂરણ સામાન ચોરી લેવાયો છે.
તસ્કરોએ ત્યાં રાખવામાં આવેલા કબાટ ખોલી નાખી તેમાંથી બાળકોને રમવા માટે અપાતા રમકડા પણ વેરવિખેર કરી નાખ્યા હતા. ચોરીની આજે સવારે આંગણવાડીના સંચાલક જ્યારે આવ્યા ત્યારે જાણ થવા પામી હતી. પોલીસને વાકેફ કરાતા સિટી એ ડિવિઝનનો સ્ટાફ ધસી ગયો છે. આ સ્થળે મૂકવામાં આવેલા કેટલાક સીસીટીવીના ફૂટેજ ચકાસી પોલીસે તસ્કરોના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial