Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૨ ટકાએ પહોંચતા
જામનગર તા. ૨૫: જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા વધીને ૯૨ ટકાએ પહોંચતા અસહ્ય બફારો અનુભવાયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું હતું.
વરસાદની આગાહી વચ્ચે જામનગરમાં વાદળોની આવન-જાવન સતત જોવા મળી રહી છે. મેઘાવી માહોલના પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા વધીને ૯૨ ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધારે રહેતા બફારામાં પણ વધારો થયો હતો. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરશેવે રેબઝેબ થઈ ગયાં હતાં.
નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી જયારે નહીંવત ઘટીને લઘુતમ તાપમાન ૨૮ ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩૫ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial