Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત
જામનગર તા. ૨૫: હાલના સમયમાં ભણતર ને લગતી સ્ટેશનરીની ચીજ વસ્તુઓમાં મોંઘવારીનું ગ્રહણ લાગતું જાય છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારને પોતાના બાળકોને એજ્યુકેશન લગતી સ્ટેશનરી લેવા બહુ મોટો ખર્ચ કરવો પડે છે.
જામનગરના ઈતિહાસ સૌ પ્રથમ વખત શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિના વિધાર્થીઓ માટે એક લાખ ફુલ્સકેપ ચોપડાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ રાહત દરે ચોપડા વિતરણ સંસ્થા દ્વારા શહેરના પટેલ કોલોની, સાધના કોલોની, પંચેશ્વર ટાવર, ગોકુલ નગર, ખોડિયાર કોલોની, ગ્રીનસીટી, રામેશ્વર નગર સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત ૩૯ દિવસ સુધી કેમ્પ કરી સર્વ જ્ઞાતિના વિધાર્થીઓને રાહત દરે ફુલસ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા.
આ સેવા યજ્ઞને સફળ બનાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કેતન ભટ્ટ, જયદિપ રાવલ, સુનિલ જોષી, કિરીટ ઠાકર, જામ્બાલી રાવલ, રાજેશ ઠાકર, સિમિત રાવલ, નિરવ મહેતા, કમલેશ ભટ્ટ, મહેશ રાવલ, હિના ઠાકર, મનીષા ઠાકર, ધરતી વ્યાસ, જયેષ્ઠા જોષી, મનીષા જોષી, ચંદ્રાવલીબેન જોષી, રક્ષા ભટ્ટ, અર્ચના જોષી, જાહ્નવી શુકલ,કપિલ રાવલ, રાજેશ વ્યાસ, કેતન જોષી, સમીર જોષી, પ્રણવ રાવલ, રાજેન્દ્ર પુરોહિત, દેવેન્દ્ર શુકલ વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial