Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ
ખંભાળીયા તા. ૨૫: ગુજરાત સરકારના પેન્શનરો તથા સરકારી કર્મચારીઓ માટે સરકાર દ્વારા ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સહાય સારવારની યોજના દ્વારા લાખ રૂપીયા સુધીની આરોગ્ય બાબતે સહાય સારવારની યોના જાહેર થઈ તેમાં અનેક પ્રશ્નો તથા કર્મચારીઓને જાણકારી ઓછી પડતા વારંવાર પૂછપરછ થતી હોય, ગઈકાલે રાજ્યના હિસાબ અને તિજોરી નિયામક કચેરીના નાયબ નિયામક દ્વારા ખાસ પરિપત્ર તમામ જિલ્લા તિજોરી અધિકારીને કરીને આ બાબતોમાં સ્પષ્ટતાઓ કરી છે.
પેન્શનરે જિલ્લા તિજોરી કચેરીમાં આ યોજના અંગેનું પ્રમાણપત્ર મેળવવા પેન્શનર તથા આશ્રીતોના નામ, આધારકાર્ડ નંબર અને અરજી કરવાની રહેશે. પતિ-પત્ની બંને પેન્શનર હોય તો કુટુંબદીઠ વાર્ષિક દશ લાખના નિયમ પ્રમાણે સહાય મળશેે અને પ્રમાણપત્ર એક જ લેવાનું રહેશે. પેન્શનરોને આ પ્રમાણપત્ર માટેનું ખાસ રજિસ્ટર બનાવાશે તથા તાલુકામાં પણ અરજી થઈ શકશે જે જિલ્લા તિજોરી અધિકારીને મોકલાશે અને પ્રમાણપત્ર તે આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial