Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગઈકાલે કોરોનાનો માત્ર એક કેસઃ ૨૩ એક્ટિવ કેસ

કોરોના સંક્રમણમાં ઘટાડાથી રાહતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગરમાં છેલ્લા બે-ચાર દિવસથી કોરોના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાતા રાહત જોવા મળી છે. ગઈકાલે શહેરમાં માત્ર એક જ કેસ નોંધાયો હતો. જ્યારે ૧૦ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા હતા. હાલ બે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.

જામનગરમાં છેલ્લા લાંબા સમય ગાળાથી કોરોનાએ પુનઃ પડાવ નાખ્યો છે. પરંતુ ગઈકાલે માત્ર એક કેસ નોંધાયો હતો. લાલપુર બાયપાસ પાસે રહેતા ૩૫ વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો, આથી તેમને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા છે. જો કે, છેલ્લા બે-ચાર દિવસથી કોરોના ના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાતા રાહત અનુભવાય છે. ગઈકાલે કોરોનાના ૧૦ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા, હાલ ૨૩ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જ્યારે બે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh