Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ પત્નીને ફોન કરવાના મામલે ડખ્ખા પછી
જામનગર તા. ૨૫: જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રવિવારની રાત્રે એક યુવાનની હત્યા થયાની પોલીસમાં ફરિયાદ કરાયા પછી પોલીસે આરોપીઓ પૈકીના એક આરોપીને ગઈકાલે દબોચી લીધો છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઈન્દિરા કોલોનીની શેરી નં.૭માં રહેતા મિલનભાઈ પરમાર નામના બેતાલીસ વર્ષના ખવાસ યુવાન પર રવિવારની રાત્રે મયુર ભરતભાઈ ગોહિલ, સંજય સહિતના ત્રણેક વ્યક્તિએ હુમલો કરી માર માર્યા પછી મિલનભાઈનું મૃત્યુ નિપજતા તેમના ભાણેજ યશ ગોહિલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
છૂટાછેડા આપી દીધેલા પત્નીને ફોન કરવાના મુદ્દે થયેલા ડખ્ખામાં મિલનભાઈને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. પોલીસે આરોપીઓની શરૂ કરેલી શોધમાં ગઈકાલે મયુર ગોહિલ ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial