Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૪૦૦ વર્ષ પહેલા સત્યના રક્ષણ માટે હઝરત ઈમામ હુસૈને વહોરી શહાદત
જામનગર તા. ૨૫: મોહર્રમ નિમિત્તે ભારતના મહાન અને વિદ્વાન આલીમ ગુલામ અહેમદ રઝાનું જામનગર રઝાનગરમાં આગમન થનાર છે, ત્યારે નવ દિવસ શહાદતનાં બયાનનું આયોજન કરાયું છે.
લગભગ ૧૪૦૦ વર્ષ પહેલા હીજરી સન ૬૧માં મોહર્રમની દસમી તારીખે સિરિયાના સરમુખત્યાર યઝદીનાં જુલ્મી શાસન સામે ઈસ્લામનાં મહાન પયગંબરના મહાનો દહિત્ર હઝરત ઈમામ હુસૈને પોતાના કુટુંબીજનો સહિત ૭૨ વફાદાર સાથીઓ સાથે માત્ર સત્યની હિફાજત ખાતર કરબલાનાં મેદાનમાં જે મહાન કુરબાની આપી તેને ઈસ્લામી જગત આજે ય ભૂલી શક્યો નથી.
કરબલાના આ મહાન શહીદોની યાદમાં પ્રતિ વર્ષ શહેર અને જિલ્લાભરમાં મોહર્રમની ચાંદ રાતથી લઈ દસ દિવસ સુધી જુદી-જુદી મુસ્લિમ જમાતો અને કમિટિઓ દ્વારા 'દાસ્તાને કરબલા' ના નેજા હેઠળ વાએઝ શરીફનાં મુબારક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં મુખ્યત્વે શહેરમાં આ વર્ષે પણ શંકરટેકરી રઝાનગર સુન્ની મુસ્લિમ જમાત અને હુસૈની વાએઝ કમિટીના સંયુક્ત પ્રયાસો દ્વારા યોજાયેલા આ આજીમુશ્શાન ઈજલાસમાં દેશમાં ખ્યાતિ ધરાવતા ભારતના મહાન અને વિદ્વાન આલીમ હઝરત મૌલાના ગુલામ અહેમદ રઝા ઈમામ અફરોઝ બયાન ફરમાવશે.
જામનગર શહેરના જુદી-જુદી મસ્જીદોના ઈમામો-આલીમો હુસૈની વાએઝ કમિટિના સભ્યો રઝાનગર સુન્ની મુસ્લિમ જમાત સહિતના આગેવાનો તેમનું ભાવભર્યું સ્વાગત કરશે. આ મુબારક કાર્યક્રમને સફળ બનાવવા હુસૈની વાએઝ કમિટીના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યકરો દ્વારા હુસૈની ચોક સહિત આખાયે રઝાનગર વિસ્તારને રોશનીથી ઝળહળતો કરવામાં આવ્યો છે. આ શાનદાર કાર્યક્રમ દરમ્યાન ચા-પાણીની સગવડ રાખવામાં આવેલ છે. તેમજ આવનારા મહેમાનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વાહનની સગવડ કમિટી દ્વારા કરી આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial