Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના દેવીપૂજકવાસમાંથી ૧૪ ઘેટા બકરા ચોરાઈ ગયાની કરાઈ ફરિયાદ

એક આસામીનો બોકળો પણ ઉપાડી જવાયોઃ

જામનગર તા.૧૩ : ધ્રોલના દેવીપૂજકવાસમાં વસવાટ કરતા અને પશુપાલન કરતા ત્રણ વ્યક્તિના ઘેટા-બકરા, બોકરો ચોરાઈ ગયા છે. પોલીસે રૂ.૧ લાખ ૧૮ હજારની કિંમતના ઢોર ચોરી જવા અંગે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.

ધ્રોલ શહેરના લતીપર રોડ પર આવેલા દેવીપુજકવાસમાં રહેતા રવિભાઈ વકસીભાઈ વાઘેલા નામના દેવીપુજક નામના યુવાન પશુપાલનનો વ્યવસાય કરે છે. તેઓના ઘેટા બકરાના વાઘમાંથી ગઈ તા.૫ની રાત્રિથી બીજા દિવસની સવાર સુધીમાં કોઈ શખ્સો નાના-મોટા નવ ઘેટા-બકરા ચોરી જતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તે ઉપરાંત દેવીપૂજકવાસમાં જ રહેતા દિનેશભાઈ જગુભાઈ વાઘેલાના બોકડાની પણ ચોરી થઈ છે અને મશરૂભાઈ રાતડીયા નામના આસામીની ચાર બકરી ચોરાઈ ગઈ છે. તમામ વ્યક્તિ વતી રવિભાઈ વાઘેલાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૂ.૧,૧૮,૦૦૦ની કિંમતના ઘેટા-બકરા ચોરી જવા અંગે અજાણ્યા ઢોરચોર સામે ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh