Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લોહાણા જ્ઞાતિના કાર્ડ ધારકોને ચીજવસ્તુની કીટનું વિતરણ

જામનગર તા. ૧૩: જામનગરમાં વસવાટ કરતા લોહાણા જ્ઞાતિના દરીદ્રનારાયણ કાર્ડધારકો મકરસંક્રાંતિનો તહેવાર ઉમંગભેર ઉજવી શકે તે માટે તહેવારને અનુરૂપ જરૂરી ચીજવસ્તુની કીટનું વિતરણ કરવામાં આવશે. જામનગર લોહાણા મહાજન દ્વારા અને રઘુવંશી દાતાઓના સહયોગથી કીટનું વિતરણ કરવામાં આવશે.

આથી લોહાણા જ્ઞાતિના કાર્ડધારકોને તા. ૧૪-૧-ર૦રપ ના સવારે ૧૦ થી ૧ર.૩૦ વાગ્યા દરમિયાન લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં કીટ આપવામાં આવશે. લોહાણા જ્ઞાતિના સર્વે દરીદ્રનારાયણ કાર્ડ ધારકોને કાર્ડ સાથે હાજર રહેવા પ્રમુખ ભરતભાઈ મોદી તથા માનદ્ મંત્રી રાજેશ કોટેચા દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh