Advertisement
Author: નોબત સમાચાર

પોલીસ ટીમ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરનાર આરોપીમાંથી બેનો છૂટકારો થયો

પોલીસ પર છરી-તલવારથી કરાયો હતો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના રણજીતસાગર રોડ પર થોડા વર્ષ પહેલાં આરોપીઓની ધરપકડ કરવા ગયેલી પોલીસ ટીમ પર ચાર શખ્સે છરી, તલવાર, ધોકાથી હુમલો કર્યાે હતો. ઉપરોક્ત ગુન્હામાં અદાલતે બે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ થોડા વર્ષ પહેલાં એક ગુન્હાની તપાસ કરી રહ્યો હતો ત્યારે તે ગુન્હાનો આરોપી રણજીતસાગર રોડ પર પાનની એક દુકાન પાસે  હોવાની બાતમી મળતા ગજેન્દ્રસિંહ ઉર્ફે ચકા દિલીપસિંહ જાડેજા સહિતના વ્યક્તિઓ ત્યાં જોવા મળ્યા હતા. તેથી પોલીસ ત્યાં પાનની દુકાને ધસી ગઈ હતી.

પોલીસને આવતી જોઈને ગજેન્દ્રસિંહ તેમજ રજનીકાંત કરશનભાઈ અજુડીયા સહિતના વ્યક્તિઓ અલ્ટો મોટરમાં નાસવા માંડ્યા હતા. તેનો પોલીસે ખાનગી વાહનમાં પીછો શરૂ કર્યાે હતો. તે દરમિયાન મોટર ઉભી રાખી તેમાંથી ઉતરેલા ગજેન્દ્રસિંહ તથા અન્ય શખ્સોએ છરી, તલવાર, ધોકાથી પોલીસ પર હુમલો કર્યાે હતો.

ઉપરોક્ત શખ્સોએ પોલીસ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવા ઉપરાંત ખાનગી વાહનના કાચ ફોડી નાખ્યા હતા અને પોલીસકર્મીને આંગળીમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. આ શખ્સો સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. ઉપરોક્ત કેસ ચાલી જતા અદાલતે આરોપી ગજેન્દ્રસિંહ ઉર્ફે ચકા તથા રજનીકાંત અજુડીયાના વકીલ રાજીવ વાઘેલા, ડી.એમ. જોષીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh