Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળા સંચાલક મંડળ દ્વારા
જામનગર તા. ર૪: તાજેતરમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં સરાસરી હાજરી પ્રમાણે શહેરી વિસ્તારમાં ૮૦% થી ઓછી અને ગ્રામ્યમાં પપ% થી ઓછી હોય તેવી શાળાઓમાં ગ્રાન્ટ કાપનો પરીપત્ર કરતા સંચાલક મંડળ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરીને પરીપત્ર તાકીદે પાછો ખેંચવા રજૂઆત કરી છે, નહીં તો કડક પગલા વિરોધની જાહેરાત રાજય સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલે કરી છે.
તેમણે જણાવ્યું છે કે, રાજય સરકારે તાજેતરમાં આવો સરાસરી હાજરીનો પત્ર કર્યો પણ ગ્રાન્ટ કાપ કેમાંથી થશે, નિભાવ ગ્રાન્ટ કે પગાર ગ્રાન્ટ...? તેની સ્પષ્ટતા થઈ નથી.
શાળા સંચાલક મંડળ શાળા ચલાવે છે, વિદ્યાર્થીઓ શાળાએ આવે, નિયમિત રહે તેની જવાબદારી શિક્ષક અને આચાર્યની હોય, તો સંચાલક મંડળની ગ્રાન્ટ કાપ કેમ...?
ર૦-૮-ર૦ર૪ ના રોજ અગાઉનો જુની ગ્રાન્ટનો પરીપત્ર રદ્દ કરીને ૧૦૦% થતા આવો નવો નિયમ લાગુ કર્યો...!! શહેરી વિસ્તારમાં ૮૦% હાજરી, ગ્રામ્યમાં પપ% ફરજીયાત અને સરકારી શાળામાં પ થી ૧૦ છાત્રો હોય તો પણ ચાલે...? તે કેવું...? અંતરીયાળ વિસ્તાર તથા જ્યાં સરકારી શાળાની સવલત નથી પહોંચતી ત્યાં ગ્રાન્ટેડ શાળા ચાલે છે, પણ ગ્રાન્ટ કાપ નબળું પરિણામ સરાસરીમાં તંત્ર દ્વારા અપાય છે. નિયમો તો સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં સમાન હોય તો આવો ભેદભાવ કેમ...? સરકારના આ નવા વિચિત્ર પરીપત્રએ સમગ્ર રાજયના સંચાલક મંડળોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial