Advertisement
Author: નોબત સમાચાર

તાવીથાથી હુમલો કરવાના કેસમાં એક આરોપીના જામીન નામંજૂર

એકાદ મહિના પહેલાં બન્યો હતો બનાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરની નિલકમલ સોસાયટી પાસે સવા મહિના પહેલાં બે યુવાન પર હુમલો કરવાના કેસમાં સંડોવાયેલા બે આરોપીમાંથી એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી નકારાઈ છે.

જામનગરની ખોડિયાર કોલોની પાસે ગઈ તા.૧૮ નવેમ્બરની સાંજે શક્તિસિંહ વિભાજી જાડેજા તથા જયપાલસિંહ ભરતસિંહ જાડેજા નામના બે માસીયાઈ ભાઈ મંડપનું કામ પતાવીને ચા પીવા આવ્યા ત્યારે ત્યાં ઝઘડો કરતા શખ્સોએ તેમના પર હુમલો કર્યાે હતો.

આ યુવાનો પર મીત સંજય સોયગામા, તુષાર બારોટ નામના શખ્સોએ તાવીથાથી હુમલો કરી માર માર્યાે હતો. જેલહવાલે થયેલા આરોપી પૈકીના મીત સંજયભાઈએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નકારી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh