Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ન્યુનત્તમ તાપમાન ૧૪ ડીગ્રી

બે ડીગ્રીના ઘટાડા સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: જામનગરમાં ત્રણ દિવસ પછી ન્યુનત્તમ તાપમાનમાં સળવળાટ થયો છે. બે ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડા અને પવનની ગતિમાં વધારો થતા ઠંડીમાં વધારો થયો છે.

જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો ગત્ ત્રણ દિવસથી વધારા કે ઘટાડા વગર ૧૬ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો, પરંતુ હવે તેમાં સળવળાટ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી અને એક ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ર૯ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી. પવનની ગતિમાં થયેલા વધારા અને તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં વધારો થયો હતો. રાતથી વહેલી સવાર સુધી નગરસીમ અને ગ્રામ્ય વિસ્તારોતથા ધોરીમાર્ગો પર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા ઘટીને ૭૩ ટકા રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh