Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેઈમ નામંજૂર કરી દેવાયો હતોઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક આસામીનો મેડિકલેઈમ વીમા કંપનીએ નકારી કાઢતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી.
જામનગરના અમિતગીરી મનસુખગીરી ગોસ્વામી નામના આસામીએ નીવા-બુપા હેલ્થ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી પોલિસી મેળવી હતી. તેના સમયગાળામાં અમિતભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
તેમાં થયેલા રૂ.૨,૫૨,૨૭૫ના ખર્ચનો કલેઈમ વીમા કંપનીએ રદ્દ કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફરિયાદ ચાલી જતા ફોરમે ઉપરોકત રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા અને ફરિયાદ ખર્ચના રૂ.૨૫૦૦ અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial