Advertisement
Author: નોબત સમાચાર

નાની બાણુંગારમાં યુવાન પર હુમલો કરવાના આરોપમાં ત્રણ પુત્ર-પિતાનો કોર્ટમાં છૂટકારો

સાડા ત્રણ વર્ષ પહેલાં કરવામાં આવી હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગરના નાની બાણુંગાર ગામમાં સાડા ત્રણ વર્ષ પહેલાં એક યુવાન પર શેરીમાં બારણું મૂકવાની બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ પુત્ર-પિતાએ હુમલો કર્યાની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ત્રણેય આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા મોટી બાણુંગાર ગામના મિલન જયંતિભાઈ ગઈ તા.પ-૬-રરના દિને નાની બાણુંગાર ગામ પાસે હતા ત્યારે શેરીમાં બારણું મૂકવાની બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી આલા રાજાભાઈ મકવાણા, ગૌતમ આલાભાઈ, નિલેશ આલાભાઈ નામના શખ્સોએ ગાળો ભાંડી છરીથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધી ત્રણેય પુત્ર-પિતાની ધરપકડ કરી હતી. આ કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા બચાવ પક્ષે દલીલ કરી હતી કે, ઈજા પામનારે જુદા જુદા વ્યક્તિ પાસે અલગ અલગ વિગતો જાહેર કરી છે, બનાવનું સ્થળ અને સમય પણ શંકાસ્પદ છે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી ત્રણેય આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. બચાવ પક્ષે વકીલ બિમલ ચોટાઈ, સુમીત સોલંકી, નીલ ચોટાઈ, મોનિલ ગુઢકા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh