Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ-રાજ ઠાકરે થયા એકઃ બીએમસીની ચૂંટણી સાથે મળીને લડશે

વાર્યા ન વર્યા તે હાર્યા વર્યા

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ર૪: મહારાષ્ટ્રમાં અંતે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થયા છે અને યુબીટી અને મનસે વચ્ચે બીએમસીની ચૂંટણી માટે ગઠબંધન રચાયું છે. આજે એક પ્રેસકોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આજે અમે બન્ને ભાઈઓ એક થયા છે, અને મુંબઈને તોડનારાઓના ઈરાદાઓને ખતમ કરીશું. મુંબઈમાં આગામી મેયર મરાઠી જ હશે. મુંબઈની બહાર પણ આ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે. રાજ ઠાકરેએ કહ્યું હતું કે, હવે શિવસેના (યુ) અને મનસે એક છે.

રાજ ઠાકરેએ કહ્યું કે, બીએમસીની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી માટે હવે વાતચીત થશે. અમારા માટે બેઠકો મહત્ત્વની નથી. કોઈપણ ઝઘડા કે મતભેદો કરતા મહારાષ્ટ્રનું હિત મોટું છે.

આ ગઠબંધનનું એલાન થયા પછી મહાવિકાસ અઘાડી તથા મહાયુતિ ગઠબંધનોમાં ખળભળાટ મચી ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh