Advertisement
Author: નોબત સમાચાર

ધોરણ ૯ થી ૧૨ ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રતિ કલાકે ૨૦ મિનિટ વધુ અપાશે

રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો નિર્ણય

                                                                                                                                                                                                      

જામનગર  તા. ૨૪ : ગુજરાત રાજ્ય  શિક્ષણ બોર્ડે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક  મહત્ત્વનો નિર્ણય લીધો છે. અને.ધોરણ ૯ થી ૧૨ સુધી ની પરીક્ષાઓ માં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સમયગાળો લંબાવી દીધો છે. હવે દરેક કલાક દીઠ ૨૦ મિનિટનો વધારે સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાદ હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓને એક કલાક ના પેપર માટે ૨૦ મિનિટ, ૨ કલાકના પેપર માટે ૪૦ મિનિટ તો ત્રણ કલાકના પેપર માટે ૬૦ મિનિટનો વધારાનો સમય મળશે.

તો બીજી તરફ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં પણ બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ હવે ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ફોર્મ ભરી શકાશે. આવેદનપત્રમાં કોઈપણ પ્રકારના સુધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપાલને એપ્રુવલ આપવાનું બાકી હોય તે કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ રહેશે. શાળાઓ દ્વારા બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ભરી શકાશે.ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાના ફોર્મ હવે ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ સુધી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર થી ઓન લાઈન ફોર્મ ભરી શકાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh