Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેંક સામે ગ્રાહક ફોરમમાં કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક આસામીના બેંક ખાતામાંથી દિલ્હીની પેઢીને કરાયેલુ રૂ.૪ લાખનુ આરટીજીએસ પ્રાપ્ત નહીં થતા ગ્રાહક ફોરમમાં બેંક સામે ફરિયાદ કરાઈ હતી. ફોરમે બેંકને તે રકમ ફરિયાદીના ખાતામાં જમા કરી આપવા હુકમ કર્યાે છે.
જામનગરના ઝાકીયાખાન ઝાકીરહુસેનખાન નામના આસામીએ નાણાકીય લેવડ-દેવડ માટે ગઈ તા.૬-૧૦-૨૩ના દિને તામિલનાડુ મચ્યુ બેંકમાં રૂ.૪ લાખ આરટીજીએસ મારફતે મેક્સ ક્લિયરીંગ એન્ડ ફોરવર્ડીંગ પ્રા.લિ.ને મોકલવા માટે સૂચના આપી હતી. તેમ છતાં આ રકમ જે તે પાર્ટીને મળી ન હતી.
આ બાબતે તપાસ કરાતા તામિલનાડુ બેંકે આરટીજીએસ ફોર્મમાં લખેલી વિગતો તથા એકાઉન્ટ નંબર ચકાસ્યા ન હોવાનું અને તેના કારણે દિલ્હીની ઉપરોક્ત પેઢીને પેમેન્ટ ન મળ્યાનું ખૂલ્યું હતું. તેના કારણે ઝાકીયાખાનની ધંધાશાખને પણ નુકસાન થયું હતું. આથી તેઓએ બેંકના મેનેજરનો સંપર્ક કર્યાે હતો પરંતુ બેંકે નુકસાનની રકમ ચૂકવી ન હતી આથી ગ્રાહક ફોરમમાં બેંક સામે ફરિયાદ કરાઈ હતી.
ઉપરોક્ત ફરિયાદ ચાલી જતાં બેંક દ્વારા સેવાકીય ખામી રાખવામાં આવી હોવાનું ગ્રાહ્ય રાખી ફોરમે ફરિયાદ કર્યાની તારીખથી છ ટકા વ્યાજ સાથે રૂ.૪ લાખ ચૂકવી આપવાનો બેંકને હુકમ કર્યાે હતો. તે હુકમ સામે બેંકે સ્ટેટ કમીશનમાં અપીલ કરી હતી. એપેલેન્ટ કોર્ટે તે કેસ રિમાન્ડ કર્યાે હતો. ફરીથી આ કેસ ચાલી જતા જામનગર ગ્રાહક ફોરમે રૂ.૪ લાખ દિલ્હીની સાઉથ ઈન્ડિયન બેંકની શાખામાંથી તાત્કાલિક ટ્રાન્સફર કરી ફરિયાદીના ખાતામાં જમા આપવા અને રૂ.પ હજાર ખર્ચ પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ અશ્વિન બારડ, મિતુલ મલકાણ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial