Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-ખંભાળિયા નગરપાલિકાઓને 'ક'માંથી સીધો 'અ' વર્ગ અપાયોઃ વાર્ષિક ર૮-ર૮ કરોડની મળશે ગ્રાન્ટ

રાજ્યની ૧પ૬ માંથી ૧૪૯ નગરપાલિકાઓનું નવું વાર્ગિકરણ

ખંભાળિયા તા. ૧૩: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની નગર પાલિકાઓના પુનઃ વર્ગિકરણની લાંબાસમયથી ચાલી રહેલી કવાયત પછી રાજ્યની ૧પ૬ માંથી ૧૪૯ ન.પા.ના નવા વર્ગિકરણની તા. ૧૦-૩-ર૦પ ના સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સરકારના માર્ગદર્શન મુજબ જિલ્લાના વડા મથકની ન.પા.ને તેમજ રાજ્યના ચોક્કસ યાત્રાધામો કે જ્યાં હજારો યાત્રિકોની અવરજવર રહે છે તેવા શહેરોની ન.પા.ને વિશેષ લક્ષ્ય આપી વર્ગિકરણ કરવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાની ન.પા. જે 'ક' વર્ગમાંથી અપગ્રેડ કરીને સીધા 'અ' વર્ગમાં મૂકવામાં આવી છે જેના કારણે અત્યાર સુધી દર વર્ષે જે આઠ કરોડની ગ્રાન્ટ મળતી હતી તેના બદલે હવે આ બન્ને ન.પા.ઓને વર્ષે ર૮-ર૮ કરોડની ગ્રાન્ટ મળશે. ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકાને 'અ' વર્ગમાં વર્ગિકૃત કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને આ બન્ને શહેરોમાં ન.પા.ના માધ્યમથી લોકોને સુવિધાવર્ધક વિકાસ કામોને ગતિ મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh