Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેવા સદનમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા
જામનગર તા. ૧૩: જામનગરના સેવા સદન કચેરી વિસ્તારમાં ગઈકાલે વીજ પુરવઠો ખોરવાતા દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં વિક્ષેપ થયો હતો. પરિણામે અરજદારો ભારે હાલાકીમાં મૂકાયા હતાં.
જામનગરના સેવા સદનમાં ગઈકાલે વીજ પુરવઠો ખોરવાયો હતો. આથી અન્ય વીજ ઉપકરણો જનરેટર ઉપર ચાલુ રહ્યા હતાં, પરંતુ જી સ્વાન કચેરીમાં બેટરી એક પણ નહીં હોવાથી દસ્તાવેજ નોંધણીની કામગીરી અટકી હતી અને અસીલો, વકીલોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. આશરે દોઢેક કલાક સુધી આ કામગીરી બંધ રહેવા પામી હતી.
કચેરીના અધિકારીએ વકીલ પક્ષકારોને એપોઈન્ટમેન્ટનો ટાઈમ ચૂકાઈ ગયો હોય તેને અન્ય સ્લોટ ફાળવવાની સુવિધા આપતા રાહત મળી હતી.
મળતી માહિતી મુજબ એકસ્ટેન્ડેડ સ્વિચના અભાવે બેટરી બેકઅપ લઈ શકાતું નથી. સરકારમાંથી મંજુરી મળ્યેથી તેની ખરીદી કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial