Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યની ૧પ૬ માંથી ૧૪૯ નગરપાલિકાઓનું નવું વાર્ગિકરણ
ખંભાળિયા તા. ૧૩: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની નગર પાલિકાઓના પુનઃ વર્ગિકરણની લાંબાસમયથી ચાલી રહેલી કવાયત પછી રાજ્યની ૧પ૬ માંથી ૧૪૯ ન.પા.ના નવા વર્ગિકરણની તા. ૧૦-૩-ર૦પ ના સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સરકારના માર્ગદર્શન મુજબ જિલ્લાના વડા મથકની ન.પા.ને તેમજ રાજ્યના ચોક્કસ યાત્રાધામો કે જ્યાં હજારો યાત્રિકોની અવરજવર રહે છે તેવા શહેરોની ન.પા.ને વિશેષ લક્ષ્ય આપી વર્ગિકરણ કરવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાની ન.પા. જે 'ક' વર્ગમાંથી અપગ્રેડ કરીને સીધા 'અ' વર્ગમાં મૂકવામાં આવી છે જેના કારણે અત્યાર સુધી દર વર્ષે જે આઠ કરોડની ગ્રાન્ટ મળતી હતી તેના બદલે હવે આ બન્ને ન.પા.ઓને વર્ષે ર૮-ર૮ કરોડની ગ્રાન્ટ મળશે. ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકાને 'અ' વર્ગમાં વર્ગિકૃત કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને આ બન્ને શહેરોમાં ન.પા.ના માધ્યમથી લોકોને સુવિધાવર્ધક વિકાસ કામોને ગતિ મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial