Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર-ભાણવડ વચ્ચે સીમમાંથી ઝડપાયોઃ
જામનગર તા.૧૩ : લાલપુર તાલુકાના મેઘપર પંથકમાંથી ચાલુ વર્ષે એક સગીરાના અપહરણનો ગુન્હો નોંધાયો હતો. તેમાં સંડોવાયેલા મૂળ મધ્યપ્રદેશના શખ્સ તથા સગીરાને મેઘપર પોલીસે જામજોધપુરથી ભાણવડ વચ્ચેના સીમ વિસ્તારમાંથી પકડ્યા છે.
મેઘપર પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે એક સગીરાના અપહરણ અંગે બીએનએસની કલમ ૫૭, ૧૩૭ (૨) હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હામાં મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકાના કાપસી ગામના સુરેશ કાલીયા વાસ્કેલા નામના શખ્સનું નામ ખૂલવા પામ્યું હતું.
આ શખ્સની તથા અપહૃુત સગીરાની શોધખોળ કરાઈ રહી હતી. જેમાં આ બંને વ્યક્તિ જામજોધપુરથી ભાણવડ વચ્ચે આવેલા એક ખેતર નજીકના સીમ વિસ્તારમાં આવ્યા હોવાની બાતમી મળતા મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ પી.ટી. જયસ્વાલની સૂચનાથી ત્યાં ધસી જઈ આરોપી સુરેશ વાસ્કેલા તથા સગીરાને અટકમાં લીધા હતા. બંનેને મેઘપર પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial