Advertisement
Author: નોબત સમાચાર

ગાયત્રી શક્તિ પીઠમાં ચૈત્રી નવરાત્રિ અનુષ્ઠાન

તા. ૩૦-૩-ર૦રપ થી આયોજનઃ

જામનગર તા. ૧૩: જામનગરમાં ગાયત્રી શક્તિ પીઠમાં તા. ૩૦-૩-ર૦રપ થી તા. ૬-૪-ર૦રપ સુધી ચૈત્રી માસ નવરાત્રિ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે.

અનુષ્ઠાનીઓને શક્તિપીઠના ધ્યાન ખંડમાં આગલા દિવસે તા. ર૯-ર-ર૦રપ ના સાંજે પ થી ૬ વાગ્યા દરમિયાન સંકલ્પ વિધિ માટે હાજર રહેવા જણાવાયું છે.

ત્યારપછી દિવસીય અનુષ્ઠાન માટે ગાયત્રી શક્તિપીઠમાં અથવા પોતાનાઘરે ગાયત્રી મંત્રના જાપ-માળા સવારે ૪ વાગ્યાથી અનુકૂળતા મુજબ દિવસ દરમિયાન સંપન્ન કરવાના રહેશે.

અનુષ્ઠાન પૂર્ણાહૂતિનો નવકુંડી સામૂહિક હવન ગાયત્રી શક્તિપીઠના ત્રિપદા ભવનમાં તા. ૬-૪-ર૦રપ ના સવારે ૮-૩૦ થી ૧૧ વાગ્યા સુધી કરવામાં આવશે. બપોરે ૧ર વાગ્યે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh