Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વને લઈને જાહેરનામું બહાર પડાયું

કોઈ વ્યક્તિની ઈચ્છા વિરૂદ્ધ રંગ છાંટવો નહીં:

જામનગર તા. ૧૩: આગામી 'હૂતાસણી' અને 'ધૂળેટી'ના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. આ તહેવારોને અનુલક્ષીને જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જે મુજબ કોઈપણ વ્યક્તિની ઈચ્છા વિરૂદ્ધ તેના પર રંગ છાંટવો નહીં, કોઈની લાગણી દુભાય તેવા શબ્દો અથવા સૂત્રો પોકારવા કે બોલવા નહીં, પત્રિકા, પ્લે કાર્ડ અથવા વિચિત્ર આકૃતિઓ કે વસ્તુઓ તૈયાર કરવી નહીં કે તેનો ફેલાવો કરવો નહી. આવી તમામ પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું સમગ્ર જિલ્લામાં તા. ૧ર-૩-ર૦રપ ના સાંજે ૬ કલાકથી આગામી તા. ૧૪-૩-ર૦રપ ના ર૪ કલાક સુધી અમલમાં રહેશે.

ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯પ૧ ની કલમ(૧) મુજબ ઓછામાં ઓછા ૪ મહિનાની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે તેમ જાહેરનામામાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh