Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે તપાસ હાથ ધરીઃ
જામનગર તા.૧૩ : જામનગરના અંધાશ્રમ નજીકની ચેમ્બર કોલોનીમાં રહેતી એક યુવતી મંગળવારે પોતાના ઘરેથી હોસ્પિટલે નોકરી પર જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ જતાં પોલીસને જાણ કરવામાં આવી છે. જામનગરના અંધાશ્રમ નજીક આવેલી ચેમ્બર કોલોની ૫ાસે મંદિર નજીક વસવાટ કરતા સ્નેહલબેન મુકેશભાઈ પરમાર નામના પચ્ચીસ વર્ષના અપરિણીત યુવતી મંગળવારે સવારે નવેક વાગ્યે પોતાના ઘર થી નોકરી પર જવાનું કહીને નીકળ્યા હતા. આ યુવતી સાંજ સુધી પરત નહીં આવતા તેણી જે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે ત્યાં અને સંભવિતઃ તમામ સગા સંબંધીને ત્યાં તપાસ કરાવ્યા પછી પરિવારે સ્નેહલબેન ગુમ થઈ ગયાની પોલીસમાં જાણ કરી છે. પોલીસે આ યુવતીનું વર્ણન તેમજ ફોટો અને મોબાઈલ નંબર મેળવી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial