Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોડીરાત્રે ત્રાટકેલા તસ્કરે ચાંદીની મૂર્તિ ઉઠાવીઃ
જામનગર તા.૧૩ : જોડિયાના કુન્નડ ગામમાં આવેલા પ્રખ્યાત કુંડલીયા હનુમાનજી મંદિરમાં મંગળવારે રાત્રે દીવાલ ઠેકીને તસ્કર ઘૂસ્યા હતા. અંદરથી ચાંદીની મૂર્તિ તથા દાનપેટી ઉઠાવી ગયા પછી મંદિર પાછળથી તૂટેલી દાનપેટી મળી આવી છે. તેમાંથી રોકડ કાઢી જવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
જોડિયા તાલુકાના કુન્નડ ગામમાં આવેલા પ્રખ્યાત અને પૌરાણિક કુંડલીયા હનુમાનજી મંદિરમાં ચોરી થઈ છે. મંગળવારની રાત્રે મંદિરમાં ઘૂસી ગયેલા કોઈ તસ્કરો અંદરથી ચાંદીની મૂર્તિ અને આખેઆખી દાનપેટી ઉઠાવી ગયા છે.
આ બાબતની ગઈકાલે સવારે મંદિરે આવેલા ભાવિકોને જાણ થઈ છે. કોઈ શખ્સો રાત્રિ દરમિયાન મંદિરની દીવાલ કૂદી પ્રવેશ્યા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. રામજી મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ ઉઠાવવા ઉપરાંત દાનપેટી લઈ તસ્કરો પલાયન થયા હતા. તે પછી મંદિરની પાછળ જઈ દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમ કાઢી લેવામાં આવી છે. આ મંદિરના પૂજારી અવધેશ દાસજી મહારાજ દ્વારકા અને સોમનાથ દર્શન કરવા ગયા પછી ચોરીનો ઉપરોક્ત બનાવ બન્યો છે. પુજારી જે રૂમમાં રાત્રે સૂવે છે તે રૂમને બહારથી બંધ કરી તસ્કરોએ હાથફેરો કર્યાે છે. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial