Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂસ્તર વિજ્ઞાન કચેરીનો દરોડો
જામનગર તા. ર૦: જામનગર-રાજકોટ માર્ગે ખંભાલીડા પંથકમાં ચાલતા ગેરકાયદે ખનન અંગે ખાણ-ખનિજ કચેરી દ્વારા ગઈકાલે દરોડો પાડવામાં આવ્યો હતો અને ૯ વાહનો જપ્ત કર્યા હતાં.
જામનગર ભૂસ્તર વિજ્ઞાન કચેરીના અધિકારી કેયુર રાજપરાની સૂચનાથી ગઈકાલે જામનગર તાલુકાના ખંભાલીડા-વાંકિયા ગામની સીમમાં કચેરીના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં મોરમ ખનિજનું ગેરકાયદે ખનન થતું હોવાનું ધ્યાનમાં આવતા જેસીબી કંપનીના બે એક્સકેલેટર અને સાત ટ્રેક્ટર સહિત કુલ રૂા. એક કરોડની કિંમતના વાહનો કબજે કર્યા હતાં, અને વાહન માલિક હકુભાઈ વશરામભાઈ, વિશ્વસિંહ રાજભા જાડેજા, માલિક હકુભાઈ વશરામભાઈ ભરવાડ, લાલુભા અખુભા જાડેજા, યોગરાજસિંહ વનરાજસિંહ જાડેજા, મહાવિરસિંહ ઝાલા, ભૂપતસિંહ વાઘેલા અને વસરામભાઈ બાંભવાની પૂછપરછ કરવામાં આવી હતી.
આ કામગીરી નિખીલભાઈ (રોયલ્ટી ઈન્સ્પેક્ટર), રમેશભાઈ (સર્વેયર), આનંદભાઈ (રોયલ્ટી ઈન્સ્પેક્ટર), ભાવેશભાઈ (માઈન્સ સુપરવાઈઝર), નૈતિકભાઈ (માઈન્સ સુપરવાઈઝર) અને રજનીકાંતભાઈ (સર્વેયર) એ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial