Advertisement
Author: નોબત સમાચાર

રંગમતી રીવર ફ્રન્ટ પ્રોજેક્ટના ડિમોલીશનથી અસરગ્રસ્ત પરિવારોને આવાસ ફાળવવા રજૂઆત

આમ આદમી પાર્ટી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગર શહેરમાં રંગમતી રીવર ફ્રનટ બનાવવાના પ્રોજેક્ટ માટે મયુરનગર, પટણીવાડ, ઘાંચીની ખડકી, રંગમતી સોસાયટી જેવા વિસ્તારોમાં સરકાર દ્વારા ડિમોલીશન કરવામાં આવ્યું હતું.

આ કામગીરીમાં વર્ષોથી ત્યાં વસવાટ કરતા ગરીબ, દલિત અને પછાત વર્ગના અનેક પરિવારોના આવાસ છીનવાઈ ગયા છે.

આ ડિમોલીશનને છ મહિના જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી આ અસરગ્રસ્ત ગરીબ પરિવારોને વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવી નથી. જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાની હેઠળ જામનગરના મેયરને આવેદનપત્ર પાઠવી આ ડિમોલીશનમાં ઘરવિહોણા થઈ ગયેલા ગરીબ પરિવારોને કોઈપણ સરકારી આવાસ યોજના હેઠળ તૈયાર મકાનો વ્હેલી તકે ફાળવવા અથવા નવું આવાસ બનાવી આપવા રજૂઆત કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh