Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા
જામનગર તા. ર૦: જામનગરમાં સજુબા સ્કૂલથી શાક માર્કેટથી દરબારગઢ સુધીના માર્ગમાં રસ્તા ઉપર દબાણ કરનારા રેંકડીધારકોના વજનકાંટા મહાનગરપાલિકાએ કબજે લીધા હતાં, ઉપરાંત દુકાનદારોને પણ બહારથી સામાન ઉપાડી લેવા સૂચના આપી હતી.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવાની આગેવાનીમાં એસ્ટેટ શાખા દ્વારા આજે જાહેર રોડ ઉપરના દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
સજુબા ગર્લ્સ હાઈસ્કૂલથી શાક માર્કેટ અને ત્યાંથી દરબારગઢ માર્ગે જાહેર રોડ ઉપર અનેક રેંકડીઓ ઊભી હતી. તેમને દૂર ખસી જવા સૂચના આપવામાં આવ્યા પછી પણ ચેકીંગ દરમિયાન રેંકડીઓ જોવા મળતા સાતથી આઠ રેંકડીમાંથી વજન કાંટા જપ્ત કર્યા હતાં.
આ સમયે નાશભાગ મચી જવા પામી હતી. આ ઉપરાંત દુકાનદારો દ્વારા પણ કેટલાક સ્થળે માલસામાન દુકાનની બહાર રાખવામાં આવ્યો હતો જે સામાન દુકાનની અંદર રાખવા સૂચના આપવામાં આવી હતી.
શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉપરાંત સફાઈ કામગીરીમાં નડતર થતી હોવાથી આ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial