Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડેશ્વર પાસે મહિલાએ ખાઈ લીધો ગળાફાંસોઃ
જામનગર તા. ૨૦: કાલાવડના બાંગા ગામમાં રહેતા એક વૃદ્ધાએ પોતાની કેન્સરની બીમારીથી કંટાળી જઈ ઘર પાસે આવેલી નદીના ચેકડેમમાં ઝંપલાવી લઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે બેડેશ્વર પાસે રહેતા એક મહિલાએ ગઈકાલે પોતાના ઘરમાં પંખાના હુંકમાં ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી છે. પોલીસે તેઓના ભાઈનું નિવેદન નોંધ્યું છે
કાલાવડ તાલુકાના બાંગા ગામમાં રહેવાસી કડવીબેન લાખાભાઈ વાઘેલા (ઉ.વ.૭૫) નામના વૃદ્ધા છેલ્લા દસેક વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. તેઓને સારવાર અપાવવામાં આવી રહી હતી.
પોતાની બીમારીથી કંટાળી ગયેલા આ વૃદ્ધાએ ગઈકાલે બપોરે પોતાના ઘરેથી નીકળી જઈ નજીકમાં આવેલા ચેકડેમમાં ઝંપલાવી લઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. આ વૃદ્ધાનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાનું તેમના પુત્ર રામજીભાઈ વાઘેલાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા જૂના પટેલ મીલ નજીક વસવાટ કરતા કૌશલ્યાબા બચુભા જાડેજા (ઉ.વ.૪૮) નામના મહિલાએ ગઈકાલે સવારે પોતાના ઘરે એક ઓરડામાં આવેલા પંખાના હુંકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં ૧૦૮ને કોલ કરવામાં આવ્યો હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ મહિલાને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકના ભાઈ દેવેન્દ્રસિંહ બચુભા જાડેજાનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial