Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાએ પાણી ચાર્જના અધધ કરોડ વસૂલવાના બાકી

વોટર વર્કસ શાખાની નબળી વસૂલાત

જામનગર તા. ર૪: જામનગરના નળ જોડાણધારકો પાસેથી મહાનગરપાલિકાએ રૂ. ૧૩ર કરોડથી વધુ રકમ વસૂલાત બાકી નીકળે છે.

જામનગર મહાનગર પાલિકાના બજેટમાં જવાબદારી તથા લેણી રકમનો ઉલ્લેખ કરાયો છે, તે ખૂબ જ કારપેટ બેઈઝ પદ્ધતિ મુજબ શહેરના ૧૯ વોર્ડના ૭૬,૬૬૪ આસામીઓ પાસેથી પાણી ચાર્જના રૂ. ૮૩ કરોડ ૪૭ લાખ પર હજાર ૭૬પ ની રકમ વસૂલાત કરવાની બાકી છે. તેવી જ રીતે રેન્ટ બેઈઝ પદ્ધતિ મુજબ ૭પપ૮ આસામીઓ પાસેથી ર૧ કરોડ ૭પ લાખ ૯૯ હજાર ૮૬૬ ની વસૂલાત કરવાની બાકી છે. જ્યારે સ્લમ વિસ્તારના રર,૦ર૭ આસામીઓ પાસેથી ર૭ કરોડ ૪૧ લાખ ૪ હજાર પ૦૭ ની રકમની વસૂલાત કરવાની બાકી રહે છે.

આમ કારપેટ અને રેન્ટ બેઈઝ પદ્ધતિ તથા સ્લમના મળીને કુલ રૂ. ૧૩ર કરોડ ૬૪ લાખ પ૬ હજાર ૧૩૮ ની વસૂલાત બાકી રહે છે.

ચાર વર્ષ જુનું પાણી ચાર્જનું લેણું વસૂલવામાં વોટર વર્કસ શાખા નબળી પડી છે. અમુક લોકો પાણી ચાર્જ ભરતા નથી અને વર્ષભર મફત પાણી વાપરે છે, જ્યારે નિયમિત રીતે પાણી ચાર્જ ભરતા આસામીઓને પૂરતું પાણી પણ મળતું નથી. આમ જુની બાકી લેણી વસૂલાત માટે કડક કાર્યવાહી કરવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh