Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડના યુવતીએ અકળ કારણથી કરી આત્મહત્યાઃ
જામનગર તા.૨૪ : કાલાવડમાં એક યુવતીએ શનિવારે રાત્રે કોઈ અકળ કારણે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. જ્યારે દ્વારકા તાલુકાના મોજપ ગામના એક યુવાને ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. આ યુવાન કોઈ કામધંધો કરતા ન હતા અને તેમના લગ્ન થતાં ન હોવાથી આત્મહત્યા કરી હોવાનું ખૂલ્યું છે.
કાલાવડ શહેરના કાશ્મીર પરા પાસે આવેલી અમીપીર કોલોનીમાં રહેતા મયુરીબેન મનસુખભાઈ કાનાણી (ઉ.૨૧) નામના યુવતીએ શનિવારે રાત્રે સાડા નવ વાગ્યાથી અગિયાર વાગ્યા દરમિયાન પોતાના ઘરે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની તેમના પરિવારને જાણ થતાં તેણીને નીચે ઉતારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આ યુવતીનું મોડી રાત્રે મૃત્યુ નિપજ્યું હતું. તેમના ભાઈ મનિષ મનસુખભાઈએ પોલીસને જાણ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મોજપ ગામમાં રહેતા રાયધરભા ઉર્ફે બલી લધુભા કુંભાણી (ઉ.ર૭) નામના યુવાને ગઈકાલે બપોરે મોજપ ગામની સીમમાં આવેલી પઠાપીરની દરગાહમાં બેઠક ખંડમાં જઈ કપડા વડે ગળા ફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું તેમના મોટાભાઈ પ્રવીણભા કુંભાણીએ પોલીસને જણાવ્યું છે.
પોલીસ સમક્ષના તેમના નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ આ યુવાન કોઈ કામધંધો કરતા ન હતા અને રખડતા રહેતા હતા. તેઓના લગ્ન થતાં ન હોવાથી કંટાળી જઈ તેમણે આત્મહત્યા કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial