Advertisement
Author: નોબત સમાચાર

મેઘપર પાસે અજાણી મોટરની ઠોકરે ચઢી ગયેલા યુવાનનું ઈન્ફેક્શનથી મૃત્યુ

વિજરખી પાસે અકસ્માતમાં બેને થયા ફ્રેક્ચરઃ

જામનગર તા.૨૪ : જામનગર-ખંભાળિયા રોડ પર મેઘપર પાસે આઠ મહિના પહેલાં એક યુવાનને અજાણી મોટર ઠોકર મારીને નાસી ગઈ હતી. તેમાં ઈજા પામેલા યુવાનને ઈન્ફેક્શન વધી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ગયા મંગળવારે સાંજે વિજરખી ગામ નજીક એક બાઈક સાથે રિક્ષા ટકરાઈ પડતા એક મહિલા સહિત બેને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હતી.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામમાં ભાડાના મકાનમાં વસવાટ કરતા અને મૂળ બિહાર રાજ્યના સમસ્તીપુર જિલ્લાના વતની મહેશભાઈ શાંતિભાઈ શાહ નામના ૪૫ વર્ષના યુવાન ગઈ તા.૨૦ જૂનની રાત્રે અગિયારેક વાગ્યે મેઘપર ગામ પાસે આવેલી મચ્છી માર્કેટ સામે રોડ ક્રોસ કરતા હતા.

ત્યારે તેઓને કોઈ અજાણી મોટર ઠોકર મારીને નાસી ગઈ હતી. આ અકસ્માતમાં ડાબા પગમાં ઘુંટી પાસે ઈજા પામેલા મહેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઇન્ફેક્શન થઈ જતા અને તે આખા શરીરમાં ફેલાઈ જતા તેઓનું શનિવારે મૃત્યુ નિપજ્યું હોવાનું તેમના પત્ની સીતાદેવી મહેશભાઈએ પોલીસમાં જાણ કરી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જામનગરના ગુલાબનગર સ્થિત સંજરી ચોકમાં રહેતા ઉત્તમ મંછારામ મેસવાણીયા, પૂનમબેન રાહુલભાઈ ભારાઈ ગયા મંગળવારે સાંજે સાતેક વાગ્યે જીજે-૧૧-સીએન ૪૧૭૭ નંબરના મોટરસાયકલ પર જતા હતા ત્યારે જીજે-૧૦-ટીઝેડ ૨૪૨૧ નંબરની રિક્ષા તેમની સાથે ટકરાઈ પડી હતી. રિક્ષાચાલકની બેદરકારીના કારણે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પરથી ફંગોળાયેલા ઉતમભાઈને ફ્રેકચર સહિતની ઈજા થઈ છે. જ્યારે પૂનમબેનનો પણ પગ ભાંગી ગયો છે. મોટરસાયકલના ચાલક સામે શાંતિબેન કમલેશભાઈ શર્માએ ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh