Advertisement
Author: નોબત સમાચાર

દિવ્યમ્ પાર્કમાં એક દિવસ બંધ પડેલા મકાનમાંથી રૂ.સવા પાંચ લાખની ચોરી

અગાસીના દરવાજાનો નકૂચો તોડી કરાયો હાથફેરોઃ

જામનગર તા.૨૪ : જામનગરના ખોડિયારકોલોની સામે આવેલા દિવ્યમ્ પાર્ક સ્થિત એક મકાનમાં ગયા ગુરૂવારે ચોરી થઈ છે. સવારથી રાત્રિ સુધી બંધ રહેલા આ મકાનમાં અગાસીના દરવાજા વાટે પ્રવેશી કોઈ તસ્કરે તે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂપિયા સવા પાંચ લાખ જેટલી મત્તાની ચોરી કરી લીધી છે.

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા દિવ્યમ પાર્કના પ્લોટ નં.૧૦૫માં વસવાટ કરતા પ્રફુલભાઈ રમણીકભાઈ ચૌહાણ નામના શિક્ષકના પાર્થ નામના મકાનમાં ગયા ગુરૂવારના દિને ચોરી થઈ છે.

તેમના ગુરૂવારે સવારથી રાત્રિ સુધી બંધ રહેલા મકાનમાં કોઈ સમયે અગાસીમાં આવેલા દરવાજાનો નકૂચો કોઈપણ ઓજાર વડે તોડી નાખી તસ્કરે ત્યાંથી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તે મકાનમાં ખાખાખોળા કરી સોના તથા ચાંદીના રૂ.૪૦૬૫૦૦ની કિમતના દાગીના અને રૂ.૧ લાખ ૧૫ હજાર રોકડા મળી કુલ રૂ.૫,૨૧,૫૦૦ની મત્તાની ચોરી કરી હતી.

આ બાબતની પ્રફુલભાઈ ચૌહાણે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઇન્ચાર્જ પીઆઈ આઈ.એ. ધાસુરાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh