Advertisement
Author: નોબત સમાચાર

મહાનગરપાલિકાના પેન્શનરને અવસાન કેસમાં એક માસની રકમ ચૂકવવા માંગણી

અ.ભા. સફાઈ મજદૂર કોંગ્રેસના પ્રમુખની રજૂઆત

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગર મહાનગર પાલિકામાં પેન્શનર પાત્રના અવસાન અન્વયે ચૂકવવામાં આવતી રાહત સરકારી પરિપત્ર મુજબ ચૂકવવા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના પ્રમુખ હરિશ ચૌહાણએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, આવા કિસ્સામાં પ૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે, જો કે પરિપત્ર મુજબ એક માસની પેન્શનની રકમ ઉચ્ચક રાહત તરીકે આપવા નિર્ણય લેવાયો હતો, પરંતુ મહાનગર પાલિકામાં તેની અમલવારી થતી નથી. સત્વરે એક માસની પેન્શનની રકમ ચૂકવવામાં આવે તેવી જરૂરી કાર્યવાહી કરવામાં આવે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh