Advertisement
Author: નોબત સમાચાર

ચક્કર આવતા પડી ગયા પછી પરપ્રાંતીય યુવાનનું મોત

પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગરના સિક્કા ગામમાં એક પરપ્રાંતીય યુવાન ચક્કર આવતા બેભાન બની ગયા પછી મોતની ગોદમાં સરી ગયા છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં ૫ંચવટી રોડ પર રહેતા મૂળ ઉત્તરાખંડ રાજ્યના પીયોરાગઢના વતની ભરત ગંભીરભાઈ રામ (ઉ.વ.૪૦) નામના યુવાન શનિવારે સવારે સિક્કા સ્થિત ડીસીસી કંપનીના ગેઈટ બહાર નીકળતા હતા.

આ વેળાએ કોઈ કારણથી ચક્કર આવતા બેભાન બની ગયેલા ભરતભાઈને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યાનું ઈશાન સુરેશભાઈ ગોયલે જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh