Advertisement
Author: નોબત સમાચાર

જામનગર પત્રકાર મંડળના વર્ષ ર૦રપ-ર૦ર૬ ના હોદ્દેદારોની વરણી

પ્રમુખપદે ધર્મેન્દ્રભાઈ રાવલ (ભરત રાવલ) અને મંત્રી પદે કિંજલ કારસરિયા સહિતના હોદ્દેદારોની નિયુક્તિ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગરમાં પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત એકમાત્ર અને સૌથી જુની સંસ્થા જામનગર પત્રકાર મંડળના આગામી વર્ષ ર૦રપ-ર૦ર૬ ના મુખ્ય પાંચ હોદ્દેદારોની વરણી કરવા માટે કારોબારી સમિતિના સદસ્યોની એક બેઠક સર્કિટ હાઉસમાં યોજવામાં આવી હતી.

જેમાં પ્રમુખપદે ધર્મેન્દ્રભાઈ રાવલ (ભરતભાઈ રાવલ), ઉપપ્રમુખ પદે સંજયભાઈ આઈ. જાની, મંત્રીપદે કિંજલ કારસરિયા અને સહમંત્રી પદે વિજયભાઈ કોટેચા અને ખજાનચી તરીકે સૂચિત બારડની વરણી કરવામાં આવી હતી. જે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને ઉપસ્થિત કારોબારીના સદસ્યોએ અભિનંદન પાઠવ્યા હતાં.

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર પત્રકાર મંડળ એ જામનગરના પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ ફોટોગ્રાફર માટેની કાર્યરત સંસ્થા છે, જે પત્રકારો અને તેમના પરિવારના સર્વાંગી વિકાસ માટે વર્ષોથી કાર્યરત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh