Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સે વાંસામાં છરી હુલાવી દીધીઃ
જામનગર તા. ૨૬: જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે શનિવારે સવારે ગોંડલના એક યુવાન પર બે શખ્સે પ્રેમ પ્રકરણના પ્રશ્ને હુમલો કર્યાે હતો અને એક શખ્સે વાંસામાં છરી હુલાવી દીધી હતી. બંને હુમલાખોર સામે ફરિયાદ કરાઈ છે.
જામનગરના જૂના રેલ્વે સ્ટેશન પાસે આવેલી ગીતા લોજ નજીક શનિવારે સવારે ગોંડલના પરાગ જયંતીભાઈ સખીયા નામના ૨૨ વર્ષના પટેલ યુવાન આવ્યા હતા. ત્યારે ત્યાં ધસી આવેલા જામનગરમાં અંબર ચોકડી નજીક રહેતા મનીષ દેવાભાઈ જોગસવા તથા ઉદલ કનૈયાભાઈ પરમાર નામના શખ્સોએ વાતચીત કર્યા પછી બોલા ચાલી શરૂ કરી હતી.
આ શખ્સોએ તારે સંગીતા નામની યુવતી સાથે જે સંબંધ હોય તે સંબંધ તોડી નાખવા અને તેને નહીં મળવા માટે કહૃાું હતું. આ વેળાએ પરાગે સંગીતા સાથે ચાર મહિનાથી પ્રેમસંબંધ હોવાનું કહેતા ઉશ્કેરાયેલા મનિષે સંગીતા મારી છે તેમ કહીને ગાળો ભાંડી હતી અને મનિષ તથા ઉદલે ઢીકાપાટુથી માર મારવાનું શરૂ કર્યું હતું.
તે દરમિયાન ઉદલ પરમારે પોતાની પાસે રહેલી છરી કાઢી પરાગને વાસામાં ઝીંકી દીધી હતી. લોહીલુહાણ બની ગયેલા પરાગને આ શખ્સોએ ગોંડલ ભેગો થઈ જજે અને સંગીતાને આજ પછી મળતો નહીં, નહીં તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. સારવાર મેળવ્યા પછી પરાગે સિટી બી ડિવિઝનમાં મનિષ જોગસ્વા તથા ઉદલ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial