Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોકળગાયને ૫ણ શરમ આવે તેમ
જામનગર તા. ૨૬: જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો માટે કોન્ટ્રાક્ટ આપી દીધા પછી આ કામ કેવી રીતે થાય છે, ખ્યાલ છે ? તેની દરકાર લેવામાં આવતી નથી. તળાવ ગેઈટ નંબર ૯ સામેના માર્ગેે કેનાલ ઉપર સ્લેબનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ૨૯ માર્ચ થી ૩૦ એપ્રિલ સુધી આ કામા માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેવી જાણ કરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, હવે એપ્રિલના બદલે મે માસ પણ પૂર્ણ થવા આવ્યો છે, આમ છતાં આ કામ હજુ પૂર્ણ થયું નથી.
આગામી દિવસોમાં વરસાદ થશે માટે આ વિસ્તારની હાલત વધુ કફોડી બનશે, અત્યારે આ વિસ્તારના કોર્પોરેટરો પણ મૌન કેમ છે ? બીજી તરફ તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉદાસીનતા પણ નજરે પડી રહી છે. અને ગોકળગાયની ગતિએ ચાલતા કામ અંગે તરેહ-તહેરની ચર્ચા સાંભળવા મળી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial