Advertisement
Author: નોબત સમાચાર

પવનચક્કી સર્કલ જેવા અતિ વ્યસ્ત વિસ્તારમાં દસમી વખત ખાડો ખોદાયો

ખાડા ખોદવામાં નિષ્ણાત મનપા તંત્ર

                                                                                                                                                                                                      

જામનગરમાં પવનચક્કી સર્કલ જેવા શહેરના અતિવ્યસ્ત ટ્રાફિકવાળા વિસ્તારમાં રસ્તા ઉપર દસમી વખત વારંવાર રીપેર કરવાની અને રસ્તા વચ્ચે ખાડો ખોદવાની જરૂર પડે છે. વારંવાર ખોદાતા અને અણઘડરીતે અધકચરા પૂરાયેલા ખાડાના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાય છે, ટુ-વ્હીલર વાહનોવાળા ગબડી પડે છે અને ટ્રાફિક જામ થાય છે. અહીંની પાણીની પાઈપલાઈનનું રીપેરીંગનું કામ થૂંકના સાંધા જેવું થતું હોવાના કારણે મસમોટા ખાડાનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. આમે ય આપણી મહાનગરપાલિકા ખાડા ખોદવામાં ઝડપી અને નિષ્ણાત છે, અને ખાડા ખોડ્યા પછી તેને વ્યવસ્થિત રીતે પૂરવા, રસ્તા સમથળ કરવા, ડામર કામ કરવું જેવા કામ ભૂલી જાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh