Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના બસ સ્ટેન્ડ પાસે નશાની હાલતમાં પડી ગયેલા યુવાનનું મૃત્યુ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: જોડિયાના બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે બપોરે એક યુવાન નશાની હાલતમાં પડી ગયા પછી માથામાં ઈજા થતાં મોતની ગોદમાં સરી ગયા છે. ખંભાળિયાના વિંઝલપરમાં ખેતમજુરને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.

જોડિયા શહેરમાં એક પરિવાર દ્વારા યોજવામાં આવેલા લગ્ન પ્રસંગમાં ભાગ લેવા માટે મોરબી જિલ્લાના સકતસનાળા ગામના ઝાલા હરપાલસિંહ ભવાનસિંહ (ઉ.વ.૪પ) નામના યુવાન પણ અન્ય વ્યક્તિઓ સાથે આવ્યા હતા.

દારૂનો નશો કરવાની આદત ધરાવતા આ યુવાને ગઈકાલે સવારે દારૂ પી લીધા પછી તેઓ જોડિયાના બસ સ્ટેન્ડ પાસેથી જતા હતા ત્યારે કોઈ રીતે ફસડાઈ પડ્યા હતા. માથાના પાછળના ભાગમાં ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેમનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટા ભાઈ હરીચંદ્રસિંહ ઝાલાએ પોલીસને જાણ કરી છે.

ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામમાં આવેલા મુળૂભાઈ રામભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના નયા ગામના વતની કાળુસિંગ તેજસિંગ ગઈકાલે સવારે ખેતરમાં કામ કરતા હતા ત્યારે હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં ઢળી પડ્યા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું ગોપાલસિંગ બાબુસિંગે જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh