Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકાનની ચિંતામાં એક અસરગ્રસ્તને હાર્ટ એટેક ?
જામનગર તા. ર૬: જામનગરના ગાંધીનગરથી સ્વામિનારાયણનગર સુધીના વિસ્તારમાં ડીપી કપાત કરવામાં આવનાર છે. આ માટે માર્કિંગની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન મકાન પડી જશે તેવી ચિંતામાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.
ગાંધીનગરથી સ્વામિનારાયણનગર સુધી ડી.પી. કપાત કરવામાં આવનાર છે. આશરે ૭૩૦ થી વધુ મકાનોની પાડતોડ કરવાની થશે તે માટે કપાતમાં જતા મકાનોમાં માર્કિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આ પાડતોડ, કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે.
વોર્ડ નંબર ૪ ના કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા અસરગ્રસ્તોને સાથે રાખીને મહાનગરપાલિકામાં સિટિ ઈજનેર સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતાં, અને અમોએ કોર્ટમાં દાદ માંગી હોવાથી તા. ર૪ જૂન સુધી પાડતોડ નહીં કરવા માટે રજૂઆત કરી હતી.
અહિં લોકો ચાર દાયકાથી વસવાટ કરે છે, જો કે મહાનગરપાલિકા દ્વારા હવે શું પગલાં લેવાઈ તેના ઉપર સૌ કઈ મીટ માંડીને બેઠા છે.
બીજી તરફ નવાગામ ઘેડ, મધુવન સોસાયટીમાં રહેતા એક અસરગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ થયું છે. કદાચ તેમને હ્ય્દયરોગનો હુમલો આવ્યો છે જે મકાનની ચિંતામાં હોઈ શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial