Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય સગીરાને ઉપાડી જનાર શખસને દબોચી લેવાયોઃ
જામનગર તા. ર૬: જામનગરના મોટી ખાવડી ગામમાંથી એક સગીરાનું અપહરણ કરનાર શખ્સને પોલીસે પકડી પાડી દુષ્કર્મની કલમનો ઉમેરો કરી તેની ધરપકડ કરી છે. જ્યારે એક સગીરાને હૈદરાબાદના મોઈનાબાદ ગામમાં નસાડીને લઈ ગયેલા શખ્સને ત્યાંથી દબોચી લેવામાં આવ્યો છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા મોટી ખાવડી ગામમાં રહેતા સોલંકી સન્ની મુકેશભાઈ નામના દેવીપૂજક શખ્સ સામે આ વર્ષમાં એક સગીરાનું અપહરણ કરી જવા અંગે ગુન્હો નોંધાયો હતો.
આ કેસની તપાસ મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ પી.ટી. જયસ્વાલની સૂચનાથી કર્યા પછી આરોપી તથા સગીરાને પકડી પાડ્યા હતા. તે પછી સગીરા પર દુષ્કર્મ ગુજારાયું હોવાનું જણાઈ આવતા પોક્સો એક્ટ તેમજ બીએનએસની કલમનો ઉમેરો કરી સન્ની મુકેશભાઈની ધરપકડ કરવામાં આવી છે.
મેઘપર પોલીસ સ્ટેશનમાં આ વર્ષે અન્ય એક સગીરાના અપહરણની પણ ફરિયાદ થઈ હતી. જે શખ્સનું શકદાર તરીકે નામ આપવામાં આવ્યું હતું તેની ચાલી રહેલી શોધમાં આ શખ્સનું મોબાઈલ લોકેશન હૈદરાબાદ તરફનું મળતા પીઆઈ જયસ્વાલની સૂચના મુજબ પોલીસ ટીમ હૈદરાબાદ દોડી ગઈ હતી.
ત્યાં આવેલા મોઈનાબાદ ગામમાંથી આ સગીરા તથા અર્જુન નારણભાઈ નાયક નામનો શખ્સ મળી આવતા બંનેની અટકાયત કરી મેઘપર પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial