Advertisement
Author: નોબત સમાચાર

બ્રાસપાર્ટનું કારખાનું ન ચાલતા નગરના કારખાનેદારે ખાઈ લીધો ગળાફાંસોઃ મૃત્યુ

બેભાન બની ગયા પછી વૃદ્ધ પર કાળનો પંજોઃ

જામનગર તા.૫ : જામનગરના એક કારખાનેદારે છેલ્લા દસેક વર્ષથી બરાબર રીતે કામ ચાલતું ન હોવાથી ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ધરારનગર-૩માં બેશુદ્ધ બની ગયેલા વૃદ્ધનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયાના કેશોદ ગામમાં વીજ આંચકો લાગતા પરપ્રાંતીય શ્રમિકનું મૃત્યુ થયું છે.

જામનગરના સમર્પણ સર્કલ નજીક આવેલા મેહુલ સિનેમેક્સ પાછળ મયુરપાર્કની શેરી નં.પમાં વસવાટ કરતા નિલેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા નામના આસામી બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓનો વ્યવસાય છેલ્લા દસેક વર્ષથી સરખી રીતે ચાલતો ન હોવાથી નાસીપાસ થઈ ગયેલા આ પ્રૌઢે ગઈકાલે સવારે પોતાના ઘરમાં એક પંખામાં સાડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો છે. જેની જાણ થતાં પોલીસને વાકેફ કરાઈ છે. સિટી સી ડિવિઝનના જમાદાર એચ.એ. પરમારે મૃતકના પુત્ર બિસન ચાવડાનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગરના ધરારનગર-૩ પાસે ત્રણ માળીયા આવાસમાં વસવાટ કરતા અજીતસિંહ લાલુભા રાઠોડ નામના સાંઈઠ વર્ષના વૃદ્ધ સોમવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે કોઈ રીતે બેભાન બની જતાં સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ધનરાજસિંહ રાઠોડે પોલીસને જાણ કરી છે.

ખંભાળિયા તાલુકાના કેશોદ ગામમાં વજશીભાઈ આંબલીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશ ના આંબી ગામના વતની રાકેશ ભુવનભાઈ શિંગાળા (ઉ.રપ)  નામના યુવાન સોમવારે રાત્રે ખેતરમાં ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા ગયા ત્યારે તેઓને કોઈ રીતે વીજ આંચકો લાગ્યો હતો. તેઓનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ વેસ્તાભાઈ શિંગાળાનું પોલીસે નિવેદન નોંધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh