Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પક્ષકારો-વકીલો તાલુકા-જિલ્લા કાનૂની સમિતિનો સંપર્ક કરે
ખંભાળિયા તા. ૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં તા. ૮-૨-૨૫ના દિવસે સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન થયું છે. જેમાં જોડાવા પક્ષકારો-વકીલોને અનુરોધ કરાયો છે.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ તથા ગુજરાત રાજય કાનુની સત્તામંડળ દ્વારા તથા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રીમતી સુનીતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ દ્વારકા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસ દ્વારા તા. ૮-૨-૨૫ના દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
તમામ અદાલતોમાં દ્વારકા જિલ્લામાં હાઈકોર્ટ દ્વારા ટારગેટેડ કેસ તરીકે નકકી થયેલા સિવિલ સ્યુટ કેસો, છુટાછેડા સિવાયના મેટ્રોમોનિયલ કેસો, નેગોશિયેબલ એકટના કેસો, એલ.એ.આર.ના કેસો માટે ત્વરીત નિકાલ સ્પેશ્યલ લોક અદાલતમાં તા. ૮-૨-૨૫ના રોજ કરવા સંલગ્ન પક્ષકારો તથા વિદ્ધાન વકીલોએ તેમની નજીકની કોર્ટ અને તાલુકા કાનુની સેવા સમિતિ, ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, ઓખા, કલ્યાણપુર કાનૂની સમિતિનો ૦૨૮૩૩ ૨૩૩૭૭૫ પર સંપર્ક કરવા અથવા નાલસા હેલ્પ લાઈન ૭૫૧૦૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial