Advertisement
Author: નોબત સમાચાર

મહાકુંભમાં મોદીઃ મંત્રોચ્ચાર સાથે સંગમ સ્નાન

વડાપ્રધાને ભગવા વસ્ત્ર પરિધાનઃ ગળામાં રૂદ્રાક્ષની માળાઃ સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરી ગંગાપૂજન કર્યુ

પ્રયાગરાજ તા. ૫: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી સાથે મહાકુંભમાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ સ્નાન કરી ગંગાના પૂજન કર્યું હતું અને સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કર્યુ હતું.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. અહીં મોદીએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યુ હતું. સીએમ યોગી પણ તેમની સાથે હતા. મોદી બોટમાં બેસીને યોગી સાથે સંગમ પહોંચ્યા હતા.

વડાપ્રધાને ભગવા રંગનાં કપડાં પહેર્યા હતાં. મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ સંગમમાં ડૂબકી લગાવી હતી. સંગમ સ્નાન કર્યા પછી તેઓએ સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યુ હતું.  આ દરમિયાન તેમના હાથમાં રુદ્રાક્ષની માળા પણ હતી. મોદીએ લગભગ ૫ મિનિટ સુધી મંત્રોચ્ચાર સાથે સૂર્યની પૂજા કરી હતી.

સંગમમાં સ્નાન કર્યા પછી મોદીએ માતા ગંગાની પૂજા કરી હતી. વડાપ્રધાને ગંગાને દૂધ અને સાડી અર્પણ કરી હતી. પીએમ મોદી ગંગાની પૂજા કર્યા પછી પરત ફર્યા હતા.

તેઓની સાથે સુરક્ષા ગાર્ડ પણ હાજર હતા. વડાપ્રધાનને જોવા માટે સંગમના કિનારે ઘણા લોકો ભેગા થયા હતા. પીએમ મોદીએ સંગમ નજીક પહોંચતા પહેલા હોડીમાંથી પણ લોકોનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન મોદીનો ધર્મ અને આસ્થાને લઈને અલગ જ દૃષ્ટિકોણ જોવા મળે છે. તેઓ ધાર્મિક સ્થળો પર ભકિતમાં લીન જોવા મળે છે.

આજે સવારે પીએમ મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતા. બમરૌલી એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી, બંને નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકે પીએમનું સ્વાગત કર્યું. ૫૪ દિવસમાં પીએમની આ બીજી મુલાકાત હતી.

પ્રયાગરાજના મહાકુંભમાં આ વખતે ૧૪૪ વર્ષ બાદ એવો શુભ સમય આવ્યો છે, જે ખૂબ જ શુભ છે. આ પ્રસંગે ૩૯ કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. હવે આ ભક્તોમાં પીએમ મોદી પણ સામેલ થઇ ગયા છે. આ પહેલાં પીએમ મોદી ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ના પ્રયાગરાજ આવ્યા હતા, જ્યારે તેમણે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

મહાકુંભમાં જ્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ છે તે વિસ્તારો એનએસજી, એસપીજીના કબજામાં લેવામાં આવ્યા છે. મેજિસ્ટ્રેટ અને પોલીસ અને આરએએફના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ગંગાના ઘાટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. શહેરથી લઈને મહાકુંભ મેળા સુધીના શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે. મંગળવારે ૭૫ લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું. અત્યાર સુધીમાં ૩૮ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh