Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં મંજુર થયેલા ૮૭ અમૃતભારત સ્ટેશનમાં હાલારના આઠ રેલવે સ્ટેશનોનો થયો સમાવેશ

કેન્દ્રિય બજેટમાં ૬૩૦૩ કરોડના ખર્ચે

ખંભાળિયા તા. પઃ અંદાજપત્રમાં ૬૩૦૩ કરોડના ખર્ચે ૮૭ રેલવે સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશનોમાં હાલારના આઠ રેલવે સ્ટેશનોનો સમાવેશ કરાય છે.

બજેટમાં તાજેતરમાં ૬૩૦૩ કરોડના  ૮૭ રેલવે સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશન તરીકે વિકાસ કરવા આયોજન થયું છે. જેમાં દ્વારકા અને જામનગર જિલ્લાના આઠ સ્ટેશનોનો આ કરોડોની યોજનામાં સમાવેશ હાલારના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જે આઠ સ્ટેશનોનો અમૃત ભારત રેલવે સ્ટેશનમાં સમાવેશ થયો છે તેમાં દ્વારકા જિલ્લાના દ્વારકા મીઠાપુર, ભાટિયા અને ખંભાળીયાનો સમાવેશ થયો છે, જ્યારે જામનગર જિલ્લાના જામજોધપુર, હાપા જંક્શન, કાનાલૂસ જંકશન તથા જામવણથલી રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે.

ફેબ્રુઆરી ર૦ર૩ માં સ્ટેશનોના પુનઃ વિકાસ માટે અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના શરૂ થઈ હતી જે ર૪,૪૭૦ કરોડથી વધુના ખર્ચની છે. જેમાં ૬૩૦૩ કરોડની યોજનામાં ૮૭ સ્ટેશનોમાં દ્વારકા-જામનગરના આઠનો સમાવેશ થયો છે.

આ અમૃત ભારત સ્ટેશન યોજનામાં સ્ટેશનના વિકાસમાં પ્રતિભા વિસ્તારો, મફત વાઈફાઈ, લીફ્ટ તથા એરપોર્ટ સુવિધા, સ્વચ્છતા, સ્થાનિક ઉત્પાદનો માટે કિયોસ્કની સ્થાપના, પેસેન્જર માહિતી પ્રણાલી, બિઝનેસ મિટિંગ જગ્યા એક્ઝિક્યુટિવ લાઉન્જ વિગેરે સુવિધાઓનો સમાવેશ આ યોજનામાં થાય છે.

આ પહેલા પણ હાલારના રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવા સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી કરોડો રૂપિયા ફાળવાયા છે ત્યારે નવી અમૃત ભારત યોજનામાં વધુ સ્ટેશનોનો વિકાસ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh