Advertisement
Author: નોબત સમાચાર

નિરાધાર કે તિરસ્કૃત વૃદ્ધો માટે એક પણ આશ્રય સ્થાન "વૃદ્ધાશ્રમ"નથી !

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળીયાઃ તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકાઓમાં ક્યાંય વૃદ્ધાશ્રમ નથી. ૨૦૧૩માં જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી તેર વર્ષ થવા છતાં હજુ પણ ક્યાંય વૃદ્ધાશ્રમ ના હોય અનાથ વડીલો કે સંતાનો દ્વારા તિરસ્કૃત થતા વૃદ્ધોને ફરજિયાત જામનગર કે રાજકોટમાં વૃદ્ધાશ્રમમાં જવું પડે છે.

જો કે, ખંભાળીયા શહેરમાં કેટલાક સામાજિક આગેવાનો, કાર્યકરો દ્વારા અગાઉ પ્રયત્ન થયો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ખંભાળીયા પાલિકા દ્વારા રેન બસેરાની સેવા શરૂ કરાઈ છે. પણ તેમાં પણ યોગ્ય આયોજન વ્યવસ્થા ન હોય, ત્યાં પણ કોઈ રહેતું નથી.

ખંભાળીયા શહેરના વિદેશમાં રહેતા અનેક લોકો દાતાઓ આવી સંસ્થા શરૂ થાય તો દાન-મદદ માટે તૈયાર છે, પણ આવી સંસ્થા માટે કોઈ આગળ આવે તો વૃદ્ધાશ્રમ શરૂ થઈ શકે તેમ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh