Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ખીમાણી સણોસરાના તલાટીનો લાંચ લેવાના કેસમાં અદાલતમાં થયો છૂટકારો

રૂ।.૧૦૫૦૦ની લાંચનો નોંધાયો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: કાલાવડના ખીમાણી સણોસરા ગામના ખેડૂતે ૧૧ વર્ષ પહેલા તલાટી કમ મંત્રી લાંચ માંગતા હોવાની એસીબીમાં કરેલી ફરિયાદમાં છટકુ ગોઠવાયું હતું અને લાંચની રકમ સ્વીકારતા અધિકારીને દબોચી લેવાયા હતા. તે કેસ ચાલી જતા અદાલતે લાંચની રકમ આરોપી પાસેથી મળે તેટલા માત્રથી લાંચનો ગુન્હો સાબિત થતો નથી તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામના કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરથી ગામની નદી સુધી પાણીની પાઈપલાઈન સરકારી ખરાબામાંથી નાખી હતી. તેને સરકાર દ્વારા નિયત ફી વસૂલી મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરીઓ રીન્યુ કરવા માટે તલાટી કમ મંત્રીએ એક ખેડૂતના રૂ।.સાડા ત્રણ હજાર લેખે ત્રણ ખેડૂત પાસેથી રૂ।.૧૦૫૦૦ની લાંચ માંગ્યાની વર્ષ ૨૦૧૪ના જુલાઈ મહિનામાં એસીબીમાં ફરિયાદ કરાઈ હતી.

એસીબી સ્ટાફે ગોઠવેલા છટકામાં કાલાવડ મામલતદાર કચેરી બહાર પૈસા આપી જવાનું કહેવાતા એસીબી ટીમ ત્યાં પહોંચી હતી અને આરોપીએ તે રકમ સ્વીકારી ખિસ્સામાં મુકતા જ એસીબી ટીમ પ્રગટી હતી. ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે લાંચની રકમ આરોપી પાસેથી મળે તે માત્રથી લાંચનો ગુન્હો સાબિત થતો નથી તે દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી તલાટી મંત્રીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ વી.એચ. કનારા, એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, આર.એ. સફીયા, આર.ડી. સીસોટીયા, રૂપાબેન વસરા, જે.એમ. નંદાણીયા, વી.એસ. ખીમાણીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh