Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયાઃ તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકાઓમાં ક્યાંય વૃદ્ધાશ્રમ નથી. ૨૦૧૩માં જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી તેર વર્ષ થવા છતાં હજુ પણ ક્યાંય વૃદ્ધાશ્રમ ના હોય અનાથ વડીલો કે સંતાનો દ્વારા તિરસ્કૃત થતા વૃદ્ધોને ફરજિયાત જામનગર કે રાજકોટમાં વૃદ્ધાશ્રમમાં જવું પડે છે.
જો કે, ખંભાળીયા શહેરમાં કેટલાક સામાજિક આગેવાનો, કાર્યકરો દ્વારા અગાઉ પ્રયત્ન થયો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ખંભાળીયા પાલિકા દ્વારા રેન બસેરાની સેવા શરૂ કરાઈ છે. પણ તેમાં પણ યોગ્ય આયોજન વ્યવસ્થા ન હોય, ત્યાં પણ કોઈ રહેતું નથી.
ખંભાળીયા શહેરના વિદેશમાં રહેતા અનેક લોકો દાતાઓ આવી સંસ્થા શરૂ થાય તો દાન-મદદ માટે તૈયાર છે, પણ આવી સંસ્થા માટે કોઈ આગળ આવે તો વૃદ્ધાશ્રમ શરૂ થઈ શકે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial